ખટ્ટરના વિશ્વાસુ નાયબ સિંહ બન્યાં હરિયાણાના મુખ્યમંત્રી, સાંજે 5 વાગ્યે સીએમ પદના શપથ લેશે
- 12 Mar, 2024
લોકસભાની ચુંટણી પહેલા ભાજપે ફરી એક સહુ કોઈને ચોંકાવી દીધાં છે. સવારે હરિયાણામાં રાજકીય ભૂકંપ સર્જાયો . ત્યાર બાદ ભાજપે એમપી નાયબ સિંહ સૈનીને સીએમ બનાવ્યાં છે. નાયબ સિંહ સૈની મંગળવારે સાંજે 5 વાગ્યે સીએમ પદના શપથ લેશે.
રાજ્યમાં સૌથી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ મનોહર લાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથેના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર જ સંકટમાં આવી ગઈ છે.
નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ છે. સીએમ તરીકે તેમની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. તેઓ ઓબીસી સમાજના કદ્દાવાર નેતા છે. ઓબીસી સમુદાય સાથે જોડાયેલા સૈનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. ભાજપ સાથે તેમનું જોડાણ 1996થી છે, જે સંગઠનાત્મક ભૂમિકાઓથી શરૂ થયું હતું અને પક્ષની અંદર વિવિધ મહત્વપૂર્ણ હોદ્દા પર આગળ વધ્યું હતું.
નાયબ સિંહ સૈની 2014માં પહેલી વાર નારાયણગઢ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતા અને 2016માં હરિયાણા સરકારમાં મંત્રી બન્યાં હતા.
તેમની મંત્રીપદની નિમણૂકનો સમાવેશ થાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, સૈનીએ કુરુક્ષેત્ર મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો. સૈની મનોહર લાલ ખટ્ટરના વિશ્વાસુ તરીકે ઓળખાય છે, અને વિધાનસભા જૂથના નેતા તરીકે તેમની નિમણૂકને ચૂંટણી અને જાતિના સંદર્ભમાં જોવામાં આવે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ